Photo by Nikhita S on Unsplash

પ્રસ્તાવના

સંશોધન એટલે ખામીઓથી ખૂબીઓ તરફની યાત્રા. સહકાર વિના સંશોધન નહીં. વિષય તજજ્ઞો અને મિત્રોના સહકારથી સંશોધન સુખરૂપ પૂર્ણ થયું. પ્રસ્તુત ક્રિયાત્મક સંશોધનમાં મને મદદરૂપ થનાર તમામ સહયોગીઓનો ઋણસ્વીકાર કરતા હું ધન્યતાની લાગણી અનુભવું છું.

ગુજરાત રાજયમાં પ્રાથમિક શિક્ષણને શ્રેષ્ઠતર બનાવવા માટે જ્યારે જી.સી.ઇ.આર.ટી , સમગ્ર શિક્ષા અભિયાન તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કાર્યરત છે ત્યારે તેમના માર્ગદર્શન હેઠળ પ્રવર્તમાન સમય માં વિદ્યાર્થીઓ તેમના વિષયમાં નિપૂણ બને એવા શુભહેતુથી આ ક્રિયાત્મક સંશોધન હાથ ધરતા હું અત્યંત કૃતજ્ઞતા વ્યક્ત કરું છું

મારી આ ક્રિયાત્મક સંશોધનરૂપી હોડકીના માર્ગદર્શક બની અને તટે પહોંચાડનાર જેમના માર્ગદર્શન હેઠળ મારુ આ ક્રિયાત્મક સંશોધન પૂર્ણત: વિકાસ પામ્યું છે. સાથો સાથ હું આભાર માનું છું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનો કે જેઓએ મને આ સંશોધન હાથ ધરવા અનુદાન પૂરું પાડ્યું છે. આ ક્ષણે હું સૌનો ઋણસ્વીકાર કરું છું.

અંતમાં સહજ અને નિ:સ્વાર્થ રીતે આ ભગીરથ કાર્યમાં મને રાહ દોરનાર તમામ નો હું આભાર વ્યક્ત કરતા ધન્યતાની લાગણી અનુભવું છું.

ભૂમિકા

ગુજરાતનું પ્રાથમિક શિક્ષણ ક્ષેત્ર વિદ્યાર્થીઓ માટે ગતિશીલ અને શિક્ષકો માટે પ્રગતિશીલ બની રહ્યું છે. આ માટે જી.સી.ઇ.આર.ટી અને સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા અનેકવિધ નવતર પ્રયોગો અમલીકૃત બન્યા છે. આ સફળતાની સાંકળમાં જિલ્લા શિક્ષણ અને તાલીમભવન , શિક્ષકો , આચાર્યો , સી.આર.સી – કોર્ડિનેટર , બી.આર.સી – કોર્ડિનેટર , કેળવણી નિરીક્ષક વગેરે મહાનુભાવોનું અમૂલ્ય યોગદાન રહ્યું છે. આ માટે સરકાર તરફથી પણ ઉચ્ચતમ ક્ષમતા ધરાવતા શિક્ષકોની નિયુક્તિ , ક્ષમતા કે અભિગમોનો અમલ , ક્ષમતાકેન્દ્રી , આનંદી અને પ્રવૃત્તિલક્ષી પાઠ્યપુસ્તકોનો અમલ વગેરે અનેકવિધ યોજનાઓ સહાયમાં રહી છે.

ક્રિયાત્મક સંશોધન દ્વારા અગાઉના સોપાનોનો અભ્યાસ કરી સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય છે. સાથોસાથ અસરકારક પરિણામો પણ પ્રાપ્ત કરી શકાય છે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક ક્ષમતા માપી શકાય છે. જો ભવિષયામાં આ પ્રકારની સમસ્યાઓ ઉદભવે તો તેનો નિકાલ લાવી શકાય છે. ક્રિયાત્મક સંશોધન દ્વારા ખાસ કરીને નબળા અથવા મંદ ગતિથી અભ્યાસ કરતા બાળકોને જ્ઞાન કઈ રીતે નિર્મિત કરી શકાય એ બાબતનો પણ ખ્યાલ આવે છે. આ ક્રિયાત્મક સંશોધનના ક્ષેત્રમાં આવેલા વિદ્યાર્થીઓને પણ ફાયદો થાય છે.મને વિશ્વાસ છે કે મારું આ કાર્ય અન્ય વિદ્યાર્થીઓને તેમજ શિક્ષકોને માર્ગદર્શક બની રહેશે.

શિક્ષણ કાર્યમાં આવતી જુદી જુદી સમસ્યાઓને ક્રિયાત્મક સંશોધન મારફત વૈજ્ઞાનિક રીતે ઉકેલ લાવી શકાય. ક્રિયાત્મક સંશોધન શિક્ષણ સુધારા માટે અત્યંત જરૂરી છે. પ્રસ્તુત ક્રિયાત્મક સંશોધનમાં વિદ્યાર્થીઓને સંસ્કૃત વાકયોના લેખન દરમ્યાન ચિત્રોના આધારે વાક્યો લખવામાં જે ક્ષતિઓ રહેતી તેના પર અભ્યાસ કરીને એ મુશ્કેલીઓનો ઉકેલ શોધવાનો પ્રયાસ કર્યો છે. પ્રાયસ દરમ્યાનમારા પ્રયત્નો કેટલા અંશે સફળ થયા છે તે બધી બાબતો મે અહીં દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે.

સમસ્યા

“વિદ્યાર્થીઓ સરળ સંસ્કૃત સંવાદ કરી શકે તેનું નિદાન અને ઉપચાર.”

  • સમસ્યાનું વર્ણન

મારી શાળાના ધોરણ – ૮ના વિદ્યાર્થીઓ સરળ સંસ્કૃત સંવાદ કરી શકતા ન હતા.

દા.ત : બાળકો સામાન્ય સંવાદ કરી શકતા ન હતા.તેઓ સંસ્કૃત સંવાદમાં મુશ્કેલી અનુભવતા હતા.સામાન્ય વાક્યો જેવાકે શાળામાં બોલાતા , ઘરમાં બોલાતા , મિત્રો સાથે બોલાતા સંવાદોમાં બાળકો શરમ અનુભવતા હતા.

  • સમસ્યા ક્ષેત્ર

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ઓથા કલસ્ટરની

શ્રી નાના ખૂંટવડા પ્રા. શાળા ના

ધોરણ –૮ ના વિદ્યાર્થીઓ

  • સમસ્યાના સંભવિત કારણો

ઉત્કલ્પનાઓ

સંભવિત કારણો જાણ્યાબાદ નીચે મુજબની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે તો સમસ્યાનું નિવારણ કરી શકાય.

  • જો શિક્ષક નબળા વિદ્યાર્થીઓનું અલગ જુથ બનાવી તેમને સંસ્કૃત સંવાદનો મહાવરો કરાવે તો વિદ્યાર્થીઓની સંવાદ શક્તિમાં અરુચિ ઘટે અને સમજ વધે.
  • જો શિક્ષક પૂર્વજ્ઞાન તપાસી તેમાં અવરોધ બનતી સમસ્યાઓને દૂર કરે તો વિદ્યાર્થીઓ સંસ્કૃત સંવાદમાં રુચિ દાખવશે.
  • જો શિક્ષક કર્તા ,કર્મ અને ક્રિયાપદોનો સચિત્ર અભ્યાસ કરાવે તો વિદ્યાર્થીઓ સરળતાથી સંવાદ કરી શકશે.
  • જો શિક્ષક દ્વારા આ સમસ્યાના નિવારણ માટે નાવિન્યપૂર્ણ પ્રયુક્તિ અપનાવવામાં આવે તો આ સમસ્યા નિવારી શકાય.
  • જો શિક્ષક પ્રત્યક્ષ અનુભવ દ્વારા , પ્રોજેકટ દ્વારા રમત ગમત દ્વારા કે ટેક્નોલોજીના ઉપયોગ સાથે સમજ આપવામાં આવે તો આ સમસ્યા નિવારી શકાય.
  • વિદ્યાર્થીઓને સંસ્કૃતને લગતા પુસ્તકોનો ઉપયોગ કરાવવામાં આવે તો આ સમસ્યા નિવારી શકાય.
  • જો શિક્ષક દ્વારા ટૂંકી વાર્તા ,પરિચય જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે તો આ સમસ્યા નિવારી શકાય.
  • જો શિક્ષક દ્વારા સરળ વાકયોનો ચાર્ટ્સ બાનાવી આપવામાં આવે તો આ સમસ્યા નિવારી શકાય.

પ્રયોગકાર્યની રૂપરેખા

ક્રમ સમય પ્રવૃત્તિ મૂલ્યાંકન સુધાર કાર્ય

મૂલ્યાંકન

ક્રમ મૂલ્યાંકન પદ્ધતિ સફળતાની ટકાવારી નિષ્ફળતાની ટકાવારી

તારણો

  • વિદ્યાર્થીઓને નવીન ઉપકરણો દ્વારા અને ટેકનોલોજીનો સમન્વય કરાવી ભણાવવામાં આવે તો સંસ્કૃત સંવાદ પ્રત્યેનો અણગમો દૂર કરી શકાય.
  • વિદ્યાર્થીઓને સંસ્કૃતભાષાના વાકયોની સરળ વાક્ય રચનાની ઊંડાણ પૂર્વકની સમજ આપી અને લેખનકાર્ય કરાવવામાં આવે તો બાળકો વાક્યો સારી રીતે લખી શકે.
  • વિદ્યાર્થીઓને જુથમાં બેસાડી અને એક જૂથમાં એક સચિત્ર વાકયોનો ચાર્ટ્સ આપી દેવામાં આવે તો પણ આ સમસ્યાનો ઉકેલ લાવી શકાય.
  • વિદ્યાર્થીઓને રોજ ગૃહકાર્યમાં પણ આ પ્રકારના વાકયોનો મુહાવરો આપવામાં આવે તો પણ આ સમસ્યા દૂર થઈ શકે.
  • બાળકની રોજીંદી ક્રિયાઓને પણ વાક્યો સાથે જોડી દેવામાં આવે તો પણ આ સમસ્યાનો હલ લાવી શકાય
  • ચિત્રો સાથે ક્રિયાને બતાવવામાં આવે તો પણ આ સમસ્યાનો હલ લાવી શકાય.
  • ક્રિયા , કર્તા અને કર્મની સમજ સરળતાથી સમજાવો તો પણ આ સમસ્યાનું નિરાકરણ થઈ શકે. .

પરિણામ

  • શિક્ષણ પદ્ધતિમાં નવાચાર લાવવાથી વિદ્યાર્થીઓમાં 80% જેટલો જ્ઞાનમાં વધારો થયો.
  • સંસ્કૃત વાક્ય લેખનમાંબાળકોની ભૂલોમાં ઘણો સુધારો જોવા મળ્યો.
  • વિદ્યાર્થીઓમાં નવી પદ્ધતિ સાથે તાલ મેળવી અને કામ કરાવવાથી 75% જેટલો સુધારો થયો.
  • વિદ્યાર્થીઓમાં વાક્ય લેખન માટે ચાર્ટ્સ, youtubeવિડીયો અને ટી એલ.એમ ની મદદથી 80%જેટલો ફેરફાર જોવા મળ્યો.
  • વિદ્યાર્થીઓને કાલ્પનિક કરતાં વાસ્તવિક વસ્તુઓનો ઉપયોગ કરાવી વધુ રસપૂર્વક શીખવ્યું.
  • વિદ્યાર્થીઓનો શબ્દભંડોળ વધે એ માટે રોજના પાંચ વાક્યો અને શબ્દો બાળકો સુધી વિવિધ માધ્યમોથી પહોંચાડયા.
  • વિવિધ ઉદાહરણો અને વિવિધ સંદર્ભ સાહિત્યોથી બાળકોને વધુ પરિચિત કરાવ્યા.જેનાથી બાળકોમાં 75% જેટલો સુધારો જણાયો.

અનુકાર્ય

  • સહ અભ્યાસીક પ્રવૃત્તિઓમાં સંસ્કૃત વિષયનો સમાવેશ કરી વૈવિધ્યપૂર્ણ તેમજ નવીન પ્રવૃત્તિઓ સાથે સમાવેશ કરવામાં આવ્યો.
  • Wordwallએપ્લીકેશન સાથે સંસ્કૃતની ગેમ ( રમત ) બનાવવામાં આવી.
  • જે રમત ચિત્રો સાથે બનાવવામાં આવી જેના દ્વારા બાળકો ચિત્રો જોઈ અને રમતના માધ્યમથી વાક્યો લખતા શીખે.
  • રમતનો qrકોડ બનાવી બાળકોને whatsappદ્વારા એ રમત રમાડતા શીખવવામાં આવ્યું.
  • ટૂંકા અને સરળ વાકયોના ચાર્ટ્સ બનાવવામાં આવ્યા.
  • રોજની દૈનિક ક્રિયાઓ અને વસ્તુના રોજના પાંચ નામો બાળકો સુધી પહોંચાડવામાં આવ્યા.
  • વિદ્યાર્થીઓને ટેક્નોલોજી સાથે પણ વાક્યો લખતા શીખવ્યું.
  • નબળા વિદ્યાર્થીઓનું અલગ જુથ બનાવી તેને વિશેષ પ્રવૃત્તિઓ આપવામાં આવી.

ઉપસંહાર

સંશોધનનાં અંતે જે નિષ્કર્ષ કાઢવામાં આવ્યા તે પરથી સંસ્કૃત વાક્ય લેખનમાં થતી ભૂલો સુધારવાના શિક્ષણમાં ,વર્ગ પૂર્વે પ્રારંભિક ચર્ચાઓને વેગ આપી ,બાળકોને વિવિધ પદ્ધતિઓનો પ્રયોગ કરી યોગ્ય અભ્યાસ કરાવવામાં આવે તો બાળકો રસપૂર્વક ભાગ લેશે.

વર્ગ દરમિયાન ,વિદ્યાર્થીઓને જુથ ચર્ચા ,ટેક્નોલોજી , ચાર્ટ્સ વગેરેનો ઉપયોગ કરી બાળકોને જો શીખવવા માટેનું યોગ્ય વાતાવરણ ઊભું કરવામાં આવે તો પણ બાળકોનો રસ વધારી શકાય.સંસ્કૃત વાક્ય લેખનમાં આવશ્યક અધ્યયન નિષ્પત્તિઓ પણ સિદ્ધ કરી શકાય.જો બાળકોને સંકલ્પના સિદ્ધ કરાવવી હોય તો આ પ્રકારે વિવિધ T.L.M બનાવી અને બાળકોને આસાનીથી શીખવી શકાય.

આમ , શિક્ષણ માત્ર પુસ્તકિયું જ્ઞાન ન બની રહેતા બાળક પુસ્તકમાથી વ્યવહારુ અને પ્રાયોગિક જ્ઞાન મેળવે તો જ આ સંશોધનનું સાર્થક્ય સિદ્ધ થાય.

.    .    .

સંદર્ભ સૂચિ:

  • ક્રિયાત્મક સંશોધન કોર્સ : દીક્ષા પોર્ટલ
  • ક્રિયાત્મક સંશોધન સંકલ્પના : અક્ષર પ્રકાશન
  • ડો. સુરેશ ઢિલા – ક્રિયાત્મક સંશોધન માર્ગદર્શિકા
  • શ્રી રાહુલભાઈ એચ જોષી – (મોટીજાગધાર કુમાર પ્રા. શાળા) તેમનું ક્રિયાત્મક સંશોધન
Discus